કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જે ગયા વર્ષે 1,105.54 લાખ ટન હતું. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે 196 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.
ગરમી વધવાથી શાકભાજીના સપ્લાય પર અસર પડી છે અને તેના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારી દરમાં 0.4-0.6% વધારો થવાનો અંદાજ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં ચોમાસું સારું રહેશે અને સામાન્ય કરતાં વધારે પડશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે અને લા નીના તથા પોઝિટિવ IODથી ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.
CWCના રિપોર્ટ અનુસાર, દેશનાં 86 જળાશયોમાં પાણીનું સ્તર 40% ઓછું છે અને 24 જળાશયોમાં પાણીનો સંગ્રહ 50%થી પણ ઓછો છે. દેશનાં મુખ્ય 150 જળાશયોમાંથી 6 જળાશયના તળિયા દેખાઈ રહ્યાં છે અને 12 જળાશયમાં પાણીનું સ્તર 10 ટકાની નીચે પહોંચી ગયું છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.
GDP Growth: વિવિધ એનાલિસ્ટ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6 ટકાથી 7.2 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ સરકારે 8.4 ટકા ગ્રોથ રેટ જાહેર કર્યો છે.
2023ની 15 ફેબ્રુઆરી સુધીમાં 2.293 કરોડ ટન ખાંડનું ઉત્પાદન નોંધાયું હતું. ઓક્ટોબરથી સપ્ટેમ્બરના 12 મહિનાને ખાંડનું માર્કેટિંગ વર્ષ ગણવામાં આવે છે. તાજા આંકડા અનુસાર, આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે.
સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના આંકડા દર્શાવે છે કે, 16 ફેબ્રુઆરી સુધીમાં દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટીને 47% થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 82% હતો. છેલ્લાં 10 વર્ષની સરેરાશ 95 ટકા છે અને તેની સરખામણીએ પાણીનું સ્તર લગભગ અડધું થઈ ગયું છે.
મોંઘવારીના મોરચે રાહત મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાથી જાન્યુઆરી 2024માં ગ્રાહક-ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો છે.